ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂ.1,419 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

ગુજરાત સરકારે બુધવાર, 23 ઓક્ટોબરે આ વર્ષે ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે નુકસાન વેઠનારા ખેડૂતો માટે રૂ.1,419.62 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. 20 જિલ્લાઓના 6,812 ગામોના લગભગ 7 લાખ ખેડૂતોને તેમના પાકને થયેલા નુકસાન માટે સહાય મળશે.

સત્તાવાર રિલીઝમાં જણાવાયું હતું કે રૂ.1,097.31 કરોડની ચુકવણી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)માંથી કરાશે, જ્યારે રાજ્ય સરકાર બજેટમાંથી રૂ.322.33 કરોડ ચૂકવશે. પંચમહાલ, સુરેન્દ્રનગર, નવસારી, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટાઉદેપુર જેવા 20 પૂર અસરગ્રસ્ત જિલ્લાઓના 136 તાલુકાઓમાં નુકસાન-આકલન સર્વેક્ષણ બાદ રાહત પેકેજની જાહેરાત કરાઈ હતી.

આ પેકેજ હેઠળ, જે ખેડૂતોએ તેમના કુલ બિન-પિયત ખરીફ પાકના 33 ટકા જેટલું અથવા તેનાથી વધુનું નુકસાન કર્યું છે, તેમને પ્રતિ હેક્ટર રૂ.11,000 નાણાકીય સહાય આપવામાં આવશે, જેમાં બે હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે.બે હેક્ટરની મર્યાદા સાથે, સિંચાઈવાળા પાકને થયેલા નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂ.22,000 વળતર આપવામાં આવશે.

વાર્ષિક બાગાયતી પાકો માટે 33 ટકાથી વધુ નુકસાનના કિસ્સામાં સરકારે 22,000 રૂપિયા પ્રતિ હેક્ટરનું વળતર નક્કી કર્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *